બનાસકાંઠામાં સરપંચ પર હુમલો: અદાવત રાખીને 9 શખ્શોદ્વારા કરાયો હુમલો, 3ને ઇજા ...
- 26 Feb, 2024
બનાસકાંઠામાં જૂની અદાવત રાખીને જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ ગામના સરપંચ તેમજ તેમના પરિવાર પર કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કરવાની ઘટના સામે આવી .બનાવની વિગત મુજબ ગામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે ગામમાં શોભાયાત્રા કાઢવાનું યોજવામાં આવ્યું હતું . આ પ્રસંગે નિમંત્રણ નહીં આપવાને લઇ કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અદાવત રાખીને હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લગભગ 9 જેટલા શખ્સો અદાવતની યોજનામાં સામેલ હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
તાજેતરમાં જ ભાભરના ગોસણ ગામે રામાપીર મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં નિમંત્રણ નહીં આપવાને લઈ કેટલાક પરિવારોમાં મનદુઃખ સર્જાયુ હતુ. જેને લઈ સરપંચ તેજાજી શિવાજી ઠાકોર પર 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. કાર, પીકઅપ ડાલુ અને ટ્રેક્ટરમાં આવેલા ગામના જ શખ્શોએ સરપંચના ઘરે હુમલો કર્યો હતો.
હુમલામાં સરપંચ અને તેમના પરિવારજનોના ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. ટોળાએ સરપંચની કાર અને મોપેડ સહિત દુકાન સહિતની તોડફોડ કરી હતી. ઘટના અંગે સરપંચના પુત્ર અંકિત ઠાકોરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે 9 આરોપીઓ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ